संदेश

દિશાઓ અનંત

चित्र
 પ્રકાશ નો ગુણ ફેલાઈ જવા નો છે.(વળી દિશાઓ અનંત છે.એ કાળનું વ્યક્ત રૂપ!!).છેડે ધીમો તાપ છે.એમ જીવાત્મા ઓ છે.પણ કિરણો જોડાયેલા ના ન્યાયે તમે ક્યાં નથી જોડાયેલા ?(પિતૃ લોક કડી ને વિચારીએ તો નિઃસંતાન જોડાયેલા જ છે.) પ્રકાશ. ...આત્મજ્ઞાન...

મૃત્યુ ગામી પ્રાણી દેહકૃતિઓ જુઓ

चित्र
 માયાવાદી અને આત્મવાદી બંને માયા માં જ છે .આપણે એકઝટ વચ્ચે નથી.પણ પ્રારંભે તો નથી જ.તેથી અણુ ધાતુ મૂળથી આતમ ની ગતિ જાણવા ની છે .ગતિ , કાળ ના અસ્તિત્વ થી અવકાશ માં છે.એજ વાયુ ની જનની છે.તર્ક અને ચિંતન સતત ફેલીને વિશાલ બની બનતી મૃત્યુ ગામી પ્રાણી દેહકૃતિઓ જુઓ.અર્થાત અવકાશથી પૃથ્વી તત્વ સુધી થવાનું પંચભૂત ની પ્રક્રિયા વાળું ચાલુ જ છે.તે જ રચે છે જન્મ મૃત્યુઓ.આતમ તત્વ ક્યાં નથી!!  સૂક્ષ્મ કે વિરાટ માત્રા માં અવકાશ કાળ ગતિ છે ત્યાં છે જ.વાયુ રચાતા ધાતુ મૂળ જીવ ના ક્રમ ના પ્રારંભે છે. ગતિ ને માયા માં લેવી અને કાળ ને શુ શિવ માં!!  હવે બીજી દિશા માં કાળ માયા છે હરિ!! કાળ હરિ મહાદેવ!! આગળ છે ઈશ્વર કાળ.ને છેક અકાલ હરિ!!બસ તત સત...

અવગણી રહ્યા છો !!

चित्र
 જ્યારે તમને કાંઈક ગમી જાય છે ત્યારે તમે અનેક ને અવગણી રહયા હો છો!! અવગણવું સહજ જ બને છે કોને શુ કહેવું!! તમને ગમે એ બધા ને ગમવું જ જોઈએ એ તો હઠ જ થઈ ને! આ તો ટોળું છે એને ગમે તેની તાળી પાડે છે. વાહવાહી મેળવવા માં ફસાયેલા ઘણા છે. યશ મેળવવા માટે ગમે તેવું સ્વીકારી લેતા જોવા મળે છે. પ્રસિદ્ધિ ના મોહ માં ભરાઈ પડેલા ઘણીવાર ભૂખે મરતા જોયા છે. તમે મૂર્ખ ના સન્માન સમારંભમાં શાંતિથી બેસી શકો તે ય તમારી પરીક્ષા છે.

મન પ્રકાશે છે આત્મા થી!!

चित्र
 કોષો જીવિત છે.તેમનું ય મૃત્યુ છે!! પ્રાણીઓ કોષોના સમૂહો થી બન્યા છે. મનુષ્ય બહુકોષ નો બન્યો છે!! દેહ માં અનેક કોષ છે.કોષોના સમૂહો છે.આ બને છે તે જીવ છે.જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખદુઃખ ભોગવે છે.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્મા થી!! ન જાણ્યું સંસ્કૃત ન સમજે વિજ્ઞાન બીએ અંગ્રેજી થી બસ કરતો રહે બકવાસ.. ઈશ્વર જ બચાવશે આવા થી!! જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી!! મરી રહયા છે ઘણા બધા કોઈ જીવે જાય છે!! ભલે માનો ન માનો અંધારું ઠેલે જાય છે જાણે પ્રકાશ ને કાજે!!!

બાકી કઈ નથી ભઈલા

चित्र
 १) प्रज्ञानं ब्रह्म ऐतरेय उपनिषद् ऋग्वेद स्वरूप बोधक वाक्य। २) अहं ब्रह्मास्मि वृहद. उपनिषद् अनुसंधान वाक्य। • यजुर्वेद ३) तत्त्वमसि द्दान्दोग्य उपनिषद् सामवेद उपदेश वाक्य। ४) अयमात्मा ब्रह्म माण्डूक्य उपनिषद् अथर्ववेद अनुभव बोध वाक्य। ભળ્યો છે કોળિયો જાણે જગત ના સ્વામીને પેખો જુદાઈ ક્યાં કરે પાગલ તેજ તેજ છે હો બસ સમજ  બાકી કઈ નથી ભઈલા માણનાર માણે જાણનાર જાણે..

સહદેવ ની પીડા તો જુઓ

चित्र
 મૃત્યુઓ અણધારી ઘટના ઓ એ એક વાત સમજાવી છે.કે સૌ કોઈ પાસે આધ્યાત્મિક સમજ હોવી જોઈએ  તે નથી.તેનો મોટો ફાયદો ધર્મો સંપ્રદાયો ઉઠાવી લે છે.સાચી સમજણ નો કોઈ પાસે ટાઈમ નથી.દેહાંત પામે છે ત્યાં સુધી કોઈ વૈજ્ઞાનિક કે આધ્યાત્મ સમજ હોતી જ નથી.જાણે અંધારું ઠેલાઈ રહ્યું છે.સહદેવ ની પીડા તો જુઓ કોઈ સમજવા ને તૈયાર જ નથી.જાણે પેલા એલિયન સાથે વાતો કરતો ગાડાં જેવા પાત્ર નો કલાકાર.એક આવાઝ જાણે કે  કહી રહી છે...છોડી દો સૌ સૌ ને તેમના ભાગ્ય પર !!

જીવો ને જતા પણ જોઈ લો

चित्र
 સંસાર સુખ અને દુઃખથી ભરેલો છે.તેનો ઉપાય કર્મ જ્ઞાન અને ભક્તિ થી થતો હોય છે.પણ કમાલ તો દેખો તેમાં કીર્તિ ધન અને ભોગ ફળ રૂપે જન્મે છે.બસ ફરી થી સુખ દુઃખ અને સંસાર!! અનુભવ અને વૈરાગ્ય ને આપણે વિસરી જઈએ છીએ!! ધાતુ મૂળની રચના ને જોઈ લો જીવો ને જતા પણ જોઈ લો અરે આ ખીલતા ફૂલોને પણ જોઈ લો!! આ ગયેલા આવનારા ની વર્ષા ને તું જોઈ લે !! ભૂતકાળ નો ઢગલો વધી જ રહ્યો છે અને ભવિષ્ય ની વર્ષાય  ક્યાં અટકી છે...